છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત: 9નાં મોત 23ને ઈજા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29042024_051432_Truck.webp)
- 29 Apr, 2024
માલ-સામાન લઈ જતી ગાડી અને ટ્રક વચ્ચે છત્તીસગઢના બેમિન્ત્રા તાલુકામાં અકસ્માત થતા 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાં પાંચ મહિલા અને ત્રણ બાળકો પણ સામેલ છે. અકસ્માતમાં 23 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બિમેનતારાના કલેક્ટર રણવીર શર્માએ કહ્યું હતું કે ઘટનામાં 9 લોકોને ઈજા થઈ હતી. જ્યારે 23 લોકોને ઈજા પહોંચી છે. કાઠીયા ગામની નજીક આ ઘટના રવિવારે રાતે બની હતી. અકસ્માતનો ભોગ બનેલા લોકો જ્યારે પારિવારિક ફંક્શન એટેન્ડ કરીને પરત ફરી રહ્યાં હતા, ત્યારે આ ઘટના ઘટી હતી. ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિયૂટ ઓફ મેડિકલ સાયન્સ રાયપુર ખાતે ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ